Home> Gujarat
Advertisement
Prev
Next

સરોવરથી સરદારના 'વિરાટ' દર્શન, USના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ ડબલ

દુનિયાની સૌથી વધુ ઉંચાઈ ધરાવતી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં તૈયાર થઈ રહી છે. કામ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે ગુજરાતના કેવડિયામાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમથી માત્ર 3.32 કિલોમીટર દૂર આ વિશાળકાય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. 

સરોવરથી સરદારના 'વિરાટ' દર્શન, USના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ ડબલ

નર્મદા: દુનિયાની સૌથી વધુ ઉંચાઈ ધરાવતી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં તૈયાર થઈ રહી છે. કામ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે ગુજરાતના કેવડિયામાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમથી માત્ર 3.32 કિલોમીટર દૂર આ વિશાળકાય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અનાવરણ કરશે. ચાર વર્ષ પહેલા શરૂ કરાયેલું સ્ટેચ્યું ઓફ યુનિટીનું કામ પૂર્ણ થવામાં છે. સરદાર પટેલની પ્રતિમાનું મુખારવિંદ લગાવી દેવાતા હવે લગભગ કામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રતિમાની ખાસમખાસ વિશેષતા એ છે કે તેની ઉંચાઈ 182 મીટર છે જે દુનિયામાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમા હશે. 

fallbacks

2013માં નખાયો હતો પાયો
આ સ્મારકનો પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે 31 ઓક્ટોબર, 2013ના રોજ સરદાર પટેલની 138મી વર્ષગાંઠના દિવસે નાખ્યો હતો. ગુજરાતના સીએમ હતા ત્યારે નરેન્દ્ર મોદીની ઇચ્છા હતી કે વલ્લભ ભાઇ પટેલની એવી મૂર્તિ બનાવવામાં આવે જે વર્લ્ડમાં સૌથી ઊંચી પ્રતિમા હોય.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બમણી ઊંચાઈ
જેને અમેરિકાની શાન ગણવામાં આવે છે તે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઊંચાઈ 93 મીટર છે. આ ઉપરાંત હાલ જે દુનિયામાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમાનો રેકોર્ડ ધરાવે છે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ચીનની સ્પ્રિંગ ટેમ્પલ છે. તેના પછી જાપાનની ઉશિકુ દાઈબુત્સુની 120 મીટરની પ્રતિમા છે. અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 93 મીટર સાથે વિશ્વની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. ત્યારબાદ ધ મધરલેન્ડ કોલ્સ કે જે રશિયામાં આવેલી છે. તેની ઊંચાઈ 85 મીટર છે. 36.6 મીટરની ઊંચાઈની સાથે બ્રાઝિલનું ક્રાઇસ્ટ ધ રીડીયર વિશ્વની પાંચમી સૌથી ઊંચી પ્રતિમા છે.  

વિશાળકાય સ્ટેચ્યુ ઓફ યુનિટીને બનાવવા માટે આ સામગ્રીનો થયો ઉપયોગ

182 મીટર ઊંચાઈવાળા સ્ટેચ્યુ ઓફ યુનિટીને બનાવવામાં 75,000 ક્યુબિક મીટર ક્રોંકિટ, 24,200 મેટ્રિક ટન સ્ટીલ, 22,500 ટન તાંબાનું પતરૂ ઉપયોગમાં લેવાયું છે.

સરદાર પટેલની આ વિરાટ પ્રતિમાની આ છે ખાસિયતો

  • આ મૂર્તિની ખાસ વાત આ છે કે તેમાં દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભ ભાઇ પટેલની સાદગીને આરામથી જોઇ શકાય છે. આ મૂર્તિમાં સરદાર વલ્લભ ભાઇ પટેલ પોતાની પારંપરિક વેશભૂષામાં જોવા મળી રહ્યાં છે. સરદાર પટેલ ઘેડવાળા ફૂર્તા-ધોતી, કોટી અને ખભા પર શાલ ઓઢતા હતા. 
  • તેની અંદર બે લિફ્ટ મુકવામાં આવી છે. સ્ટેચ્યૂ બહારથી જેટલું સુંદર દેખાઇ રહ્યું છે, એટલું જ અંદરથી પણ મનમોહક હશે. સ્ટેચ્યૂની અંદર બનાવવામાં આવેલી લિફ્ટ અહીંયા આવનારા પર્યટકોને ઉપર સુધી લઇ જશે. જ્યાં સરદાર પટેલના દિલ પાસે એક ગેલેરી બનાવવામાં આવી છે, ત્યાં પર્યટકોને સરદાર પટેલ ડેમ અને વેલીનો મનમોહક નજારો જોવા મળશે.
  • નર્મદા ઘાટ પર સરદાર પટેલની આ આધુનિક પ્રતિમાને નક્કી કરેલા સમય પર તૈયાર કરવા માટે 4076 મજૂરોને બે શિફ્ટમાં કામ કર્યું છે. રિપોર્ટના અનુસાર, આ મુર્તીનું નિર્માણ 800 ભારતીય અને 200 ચીનના કારીગરોએ મળીને કર્યું છે.
  • આ મૂર્તિનું નિર્માણ માટે કેન્દ્ર સરકારે દેશના ખુણે-ખૂણેથી લોખંડ મંગાવવામાં આવ્યું હતું.
  • સરદાર પટેલની મૂર્તિ બહારથી દેખાવમાં તાંબાના પતરાની બનેલી દેખાશે 
  • મુસાફરોને બહાર નિકળવાનો સમય ઘટાડવા માટે ફાસ્ટ એલેવેટર્સ લગાવાશે 
  • વિશાળ મ્યુઝિયમ/ પ્રદર્શન હોલ જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને દેશ માટે આપેલા યોગદાનની પ્રદર્શની હશે સરદાર પટેલની યાદમાં એક સુંદર બગીચો પણ બનાવવામાં આવશે.
  • નદીથી 500 ફૂટની ઊંચાઈએ એક ઓબ્ઝર્વેશન ડેસ્ક બનાવાશે, જેમાં એકસાથે 200 લોકો સમાઈ શકશે. અહીંથી લોકોને સતપુડા અને વિંદ્યાચલની પર્વતમાળાનો સુંદર નજારો દેખાશે, 212 કિમી લાંબો સરદાર સરોવર ડેમનો સંગ્રહક્ષેત્ર જોવા મળશે અને 12 કિમી લાંબો ગરૂડેશ્વર સંગ્રહસ્થળ પણ અહીંથી દેખાશે. 

ગુજરાતના અન્ય સમાચારો માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More